બારડોલી સત્યાગ્રહ એ ભારતમાં ખેડૂત ચળવળ અને રાષ્ટ્રવાદી ચળવળ હતી જે વસાહતી સરકાર દ્વારા ખેડૂતો પર વધારાના કરવેરા સામે હતી. તેણે બોમ્બે પ્રેસિડેન્સીમાં લાદવામાં આવેલા 22% ટેક્સ વધારાને રદ કરવાની માંગ કરી હતી. આ ચળવળ 12 જૂન 1928 ના રોજ શરૂ થઈ. આખરે તેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, અને તેની સફળતાએ પટેલને આઝાદીના મુખ્ય નેતાઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા. 1925 માં, ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાએ આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો. જો કે, બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે તે વર્ષે દરમાં 30% વધારો કર્યો, અને નાગરિક જૂથોની વિનંતીઓ છતાં, આ આફતો પર વિજય મેળવવાનો નિર્ણય લેવાનો ઇનકાર કર્યો. ખેડુત માટે તેની ખાતરી કરવાની આર્થિક ક્ષમતા હતી કે ટેક્નોલોજીમાં સામાજિક માત્ર તેમની મજબૂત ક્ષમતા, પાછળથી અને ફીડ હતી. ગુજરાતી કાર્યકરો નરહરિ પરીખ, રવિશંકર વ્યાસ અને મોહનલાલ પંડ્યાએ ગામના આગેવાનો અને ખેડૂતો સાથે વાત કરી અને ગુજરાતના સૌથી અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની વલ્લભભાઈ પટેલને મદદની વિનંતી કરી. પટેલે ખેડા સંઘર્ષ દરમિયાન ગુજરાતમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને તાજેતરમાં અમદાવાદના મ્યુનિસિ...
Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.” ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજ...
Comments
Post a Comment